
સંસ્થાના સ્થાપક અમારા મોભી વડીલ સ્વ. શ્રી પુરુષોતમભાઇ ડાયાભાઇ સોલંકી કે જેઓ સમાજ અને પ્રકૃતિ માટે કશું કરવા સદાય તત્પર રહેતા હતા. તેમણે આપેલાં જીવનમૂલ્યો અને સિધ્ધાંતના આધારે શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટની સ્થાપના તા.ર૪ માર્ચ ૨૦૧૦ના તેમની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. જે આજે તેમના બતાવેલા સદમાર્ગ પર મકકમતાથી ચાલી રહી છે.
સંસ્થાના ઉદેશો અને કલ્પના :
ગાય આધારિત ખેતી, ખેત ઉત્પાદનોને ઘર આંગણે બજારનો પ્રયોગ, આયુર્વેદમાં ઔષધિવન, માનવ/પશુ/ખેતીનાં રોગોપચારના પ્રયોગો, ગોબરગેસ, સોલાર ઉર્જા, કુટીર ઉધોગ, કોસ્મેટિક, આયુર્વેદિક ઉત્પાદનો વિગેરે એકબીજાના આનુસાંગિક પાસાં સમજી સમાજ ઉપયોગી થાય, એ વાત સમાજ સુધી પહોચાડવા માટે ટ્રસ્ટની ઓફીસ-કેમ્પ (ચિંતન) ને પ્રાકૃતિક સંસાધનો દ્વારા રચના કરીને, પ્રાકૃતિક સુંદરતાનો અહેસાસ લોકોને ખુબજ આકર્ષતો રહ્યો છે. તેમજ પ્રદર્શન, નિદર્શન દ્વારા કાર્ય નિરીક્ષણ સાથે માહિતીપ્રદ બનાવતા વારંવાર લોકો મુલાકાત લે છે, સમજે છે, અપનાવે છે તેમજ ક્યારેક તાલીમ-સેમિનારો દ્વારા પણ આ વાતને સમાજ સુધી પહોચાંડવાનાં પ્રયત્નો સંસ્થા કરે છે.

2010
સ્વ. શ્રી પુરુષોત્તમભાઈ ડાયાભાઈ સોલંકી - સ્થાપક (Founder)
શ્રી મહેશભાઈ પી. સોલંકી ચેરમેન (Chairman)
શ્રી મનોજભાઈ પી. સોલંકી - મેનેજીગ ટ્રસ્ટી (Managing Director)
શ્રી વિનોદભાઈ પી. સોલંકી ટ્રસ્ટી - (Director)
