સંસ્થાની સ્થાપના

PURSOTAMBHAI

સંસ્થાના સ્થાપક અમારા મોભી વડીલ સ્વ. શ્રી પુરુષોતમભાઇ ડાયાભાઇ સોલંકી કે જેઓ સમાજ અને પ્રકૃતિ માટે કશું કરવા સદાય તત્પર રહેતા હતા. તેમણે આપેલાં જીવનમૂલ્યો અને સિધ્ધાંતના આધારે શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટની સ્થાપના તા.ર૪ માર્ચ ૨૦૧૦ના તેમની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. જે આજે તેમના બતાવેલા સદમાર્ગ પર મકકમતાથી ચાલી રહી છે.

સંસ્થાના ઉદેશો અને કલ્પના :

ગાય આધારિત ખેતી, ખેત ઉત્પાદનોને ઘર આંગણે બજારનો પ્રયોગ, આયુર્વેદમાં ઔષધિવન, માનવ/પશુ/ખેતીનાં રોગોપચારના પ્રયોગો, ગોબરગેસ, સોલાર ઉર્જા, કુટીર ઉધોગ, કોસ્મેટિક, આયુર્વેદિક ઉત્પાદનો વિગેરે એકબીજાના આનુસાંગિક પાસાં સમજી સમાજ ઉપયોગી થાય, એ વાત સમાજ સુધી પહોચાડવા માટે ટ્રસ્ટની ઓફીસ-કેમ્પ (ચિંતન) ને પ્રાકૃતિક સંસાધનો દ્વારા રચના કરીને, પ્રાકૃતિક સુંદરતાનો અહેસાસ લોકોને ખુબજ આકર્ષતો રહ્યો છે. તેમજ પ્રદર્શન, નિદર્શન દ્વારા કાર્ય નિરીક્ષણ સાથે માહિતીપ્રદ બનાવતા વારંવાર લોકો મુલાકાત લે છે, સમજે છે, અપનાવે છે તેમજ ક્યારેક તાલીમ-સેમિનારો દ્વારા પણ આ વાતને સમાજ સુધી પહોચાંડવાનાં પ્રયત્નો સંસ્થા કરે છે.

SHREE RAM KRUSHNA TRUST
શ્રી રામ કૃષ્ણ ટ્રસ્ટ નો ઇતિહાસ

2010

સ્વ. શ્રી પુરુષોત્તમભાઈ ડાયાભાઈ સોલંકી - સ્થાપક (Founder)
૧૭ મી જુલાઈ ૧૯૨૬ નાં રોજ જન્મેલા સ્વ. પુરુષોત્તમભાઈનું જીવન સ્વાર્થ-પરમાર્થ વચ્ચે અનોખા સંતુલન સમાન હતું. તેમણે તેમના જીવનકાળનાં ૮૪ વર્ષ દરમિયાન સમાજ હોય કે નોકરી કે પછી વ્યવસાયમાં નાનામાં નાના માણસનું હિત જોયું હતું અને એટલે જ ૨૪ મેં માર્ચ ૨૦૧૦ ના શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટની સ્થાપના કરીને આ પ્રવૃતિને વધુ વેગવાન બનાવી હતી. તેઓ કચ્છમાં મળતા ખનીજોના જાણકાર હતા અને આ ઉધોગનાં વિકાસમાં તેમનો સિહફાળો છે.

સ્વ. શ્રી મહેશભાઈ પી. સોલંકી (Ex. President)
સ્વ. પુરૂષોતમભાઇના દેહાવસાન પછી ટ્રસ્ટના ચેરમેન પદે મહેશભાઈ સેવા આપતા હતા. વર્ષ 2021 માં તેમનું દેહાવસાન થયું હતું. તેમણે સાહિત્ય અને પ્રચારની રીતે ખૂબ મોટું પ્રદાન આપ્યું હતું. તેઓની સાહિત્યક્ષેત્રની સેવા સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે. તેમણે રચેલા પ્રકૃતિ ગીતો ભારે લોકચાહના મેળવી રહ્યા છે. માત્ર ઉપરછલ્લું સાહિત્ય નહિ પણ સમાજ માટે ઉપયોગી સાહિત્યની દેન તેમણે આપી છે. તેમણે 5 પુસ્તકો પણ રચ્યા છે. કચ્છ ની સંગીત પરંપરા પર ખૂબ ઊંડા અભ્યાસ સાથેનું પુસ્તક એપ્રિલ 2022માં વિમોચન થયું હતું.

શ્રી વિનોદભાઈ પી. સોલંકી- (President)
મહેશભાઇ સોલંકીના દેહાવસાન બાદ એપ્રિલ 2021 થી શ્રી વિનોદભાઇ સંસ્થાનું પ્રમુખપદ સાંભળ્યું હતું. તેઓ ખનીજ વ્યવસાય સાથે સંકળાયેલા છે. તે સાથે સામાજિક, ધાર્મિકક્ષેત્રે દાન આપીને નાનામાં નાના લોકોને સદાય ઉપયોગી થતા આવ્યા છે. તેમની સેવાની સુવાસ કચ્છભરમાં પ્રસરેલી છે. શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજમાં તેઓને “સમજરત્ન” નું સન્માન મળ્યું છે. ટ્રસ્ટ તેમના નેતૃત્વમાંથી પ્રેરણા લઈ આગળ વધી રહ્યું છે.

શ્રી મનોજભાઈ પી. સોલંકી - મેનેજીગ ટ્રસ્ટી (Managing Director)
કચ્છમાં સજીવ ખેતી માટે પાયાના કાર્યકર છે. ૧૯૯૫માં રાસાયણિક ખેતી શરૂ કરીને થાકી ગયા પછી ૨૦૦૧ થી સજીવ ખેતીનો આરંભ કર્યો. આજે તેઓ નમૂનેદાર કાર્ય કરી રહ્યા છે. સમાજ માટેની ફરજો અદા કરવા માટે તેમજ સમાજને સ્વાવલંબી બનાવવાના ઉદેશથી ટ્રસ્ટને માર્ગદર્શન કરી રહ્યા છે. સત્ય, ન્યાય અને સમાધાનના સિદ્ધાતોથી તેમણે ઔધોગીકક્ષેત્રે પણ સારી સફળતા મેળવી છે. તેમના પ્રદાનની નોંધ લઈને દેશમાં કૃષિ ક્ષેત્રે કાર્યરત ભારત સરકાર ની સંસ્થા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ – દિલ્હી (આઇસીએઆર) ના રાષ્ટ્રીય સભ્ય તરીકે તેઓ પસંદગી પામ્યા છે. અને ખેતી ક્ષેત્રે તેમના અનુભવો ને રાષ્ટ્રીય ફલક પર મૂકી રહ્યા છે. તાજેતરમાં તેઓને સજીવ ખેતી ક્ષેત્રે ઉચ્ચ નામના પ્રાપ્ત હલધર સન્માન પણ મળ્યું છે. તો ગુજરાત કામધેનુ યુનિ. દ્વારા કાંકરેજ ગાય ના સંવર્ધન તેમજ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે બે દાયકાના પ્રદાન બદલ ડૉક્ટરેટ ની માનદ્ ઉપાધિ પણ રાજ્યપાલશ્રી ના વરદ હસ્તે અપાઈ છે. અક્ષય કૃષિ પરિવારના તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ છે આ ઉપરાંત સમાજને કંઈક આપવાના સોલંકી પરિવારના આ યજ્ઞમાં મોહિત વિનોદ સોલંકી, જયદીપ મનોજ સોલંકી તેમજ જયમીત મનોજ સોલંકી પણ જોડાયા છે. તેઓ પણ પોતાની ભૂમિકા નિભાવી રહ્યા છે